Tuesday, August 18, 2026

B.A. -Paper 25775: Translation II – Practice: Translating Gujarati Newspaper Reports into English

Translation II – Practice


Translate the following newspaper reports from Gujarati into English


1.નાસિકમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ

નાસિક, 18 ઓગસ્ટ 2026: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. સોમવારે પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા ભૂકંપના આંચકા નોંધાયા હતા.

મળતી માહિતી મુજબ, સોમવારે સવારે 5:04 વાગ્યે અને બપોરે 12:40 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંને આંચકાની તીવ્રતા આશરે 2.5 અને 2.0ની આસપાસ નોંધાઈ હતી. ભૂકંપની ઊંડાઈ આશરે પાંચ કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. અગાઉ 25થી 28 જુલાઈ દરમિયાન તેમજ ઓગસ્ટ મહિનામાં પણ નાસિક વિસ્તારમાં અનેક વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા. સતત આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે.

હાલમાં મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા પ્રમાણમાં સંપત્તિને નુકસાન થયું નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.


2. જૂના વાહનો માટે ફરી E-10 ઈંધણનો ઉપયોગ કરો

દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને સરકારને સૂચન કર્યું

ભારત જેવા દેશમાં વધુ ઈથેનોલનું મિશ્રણ કરતા પહેલા તેનો ખર્ચ અને તેનાં ફાયદાનો સારી રીતે અભ્યાસ કરવાની જરૂર, ફૂડ અને ફ્યૂઅલ વચ્ચે સંતુલન જાળવવા અનુરોધ કર્યો

નવી દિલ્હી

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન દ્વારા જૂના વાહનો માટે E-10 જેવા ઓછા ઈથેનોલ મિશ્રિત ઈંધણનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે ભારત જેવા દેશમાં વધુ ઈથેનોલનું મિશ્રણ કરતા પહેલા તેનો ખર્ચ અને તેનાં ફાયદાનો સારી રીતે અભ્યાસ કરવાની જરૂર છે. દેશમાં જ્યારે E-20 ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનાં મામલે ચર્ચા ચાલી રહી છે અને વિવાદ જાગ્યો છે ત્યારે તેમણે આવી સલાહ આપી છે.

દેશમાં હાલ ૨૦ ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે જૂના વાહનોનાં માલિકોએ તેનો વિરોધ કર્યો છે અને વપરાશકારોને ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલની ખરીદીનો વિકલ્પ આપવાની માંગણી કરાઈ રહી છે.

એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા લેખમાં નાગેશ્વરન અને આર્થિક બાબતોનાં સલાહકાર આકાશ પુજારીએ એવો તર્ક રજૂ કર્યો છે કે E-20 મિશ્રિત પેટ્રોલનાં વિવાદ પછી આવા પેટ્રોલથી એન્જિનને થનારા સંભવિત નુકસાન અંગે લોકોમાં ચિંતા જાગી છે. આ સંદર્ભમાં તેમણે ફૂડ વિરૂદ્ધ ફ્યૂઅલ જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો છે જેમાં ઈથેનોલનાં ઉત્પાદનથી જમીન અને પાણીનાં ઉપયોગની અસર પર ધ્યાન આપવાની જરૂર છે.

E-20થી એન્જિનને થનારા નુકસાનનાં સંદર્ભમાં તેમણે કહ્યું કે મૂળ મુદ્દો એ છે કે આપણે શું ઉગાડવા માંગીએ છીએ? પછીથી આપણે તેને બદલી શકીશું નહીં. E-20 વાહનોનું એન્જિન ખરાબ થાય છે તે મુદ્દો નકારી શકાય તેમ પણ નથી. મુખ્ય સમસ્યા જુદી છે. તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે જો પેટ્રોલમાં ૩૦ ટકા ઈથેનોલ મિક્સ કરાશે તો દેશમાં અનાજનું સંકટ સર્જાઈ શકે છે. ઈથેનોલ માટે શેરડીનો વપરાશ વધતા દેશમાં ખાંડ અને પાણીની અછત પણ સર્જાઈ શકે છે. ખાદ્ય ચીજો મોંઘી થઈ શકે છે.

ભારતમાં ઈથેનોલ માટે શેરડીનાં પાકની સાથે મકાઈ જેવા ધાન્ય પણ ઉગાડી શકાય છે. ભારતમાં ઈથેનોલનો અડધો હિસ્સો મકાઈમાંથી બનાવાય છે. મકાઈમાંથી ઈથેનોલ બને છે જેને કારણે ખેડૂતો હવે અન્ય પાકની જગ્યાએ મકાઈની ખેતી કરવા લાગ્યા છે.

જૂના વાહનો માટે ફરી E-10 મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ વધારવાની જરૂર છે. આ સીલને ઈથેનોલ અનુકૂળ બનાવવાથી E-20 પેટ્રોલને છોડ્યા વિના સસ્તું છે પણ કરોડો વાહનોમાં સીલ બદલવાની સમસ્યાનો ઉકેલ લાગી શકે છે. પેટ્રોલ પંપો પર હવે લોકોને E-20ની સાથે E-10 મિશ્રિત પેટ્રોલ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. આનાથી જૂના વાહન ચાલકો તેમનાં વાહનોને વધારે સુરક્ષિત રાખી શકશે.


3. રશિયા-યૂકેન સંઘર્ષમાં લક્ષ્મી મિત્તલનો સ્ટીલ પ્લાન્ટ નિશાન બન્યો

પ્લાન્ટ પર મિસાઇલો છોડાઈ; બેના મોત, ઉત્પાદન બંધ

રશિયા-યૂકેન સંઘર્ષમાં લક્ષ્મી મિત્તલનો પ્લાન્ટ નિશાન બન્યો

નવી દિલ્હી

યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, રશિયાએ યૂકેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીના વતન ક્રાયવી રિહમાં ભારતીય મૂળના અબજોપતિ લક્ષ્મી મિત્તલના આર્સેલર મિત્તલ માઇનિંગ એન્ડ મેટલર્જિકલ કોમ્પ્લેક્સ પર મિસાઇલ હુમલો કર્યો હતો. યૂકેનના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ સ્ટીલ યુનિટ પર થયેલા હુમલામાં બે લોકો માર્યા ગયા અને ૧૪ કામદારો ઘાયલ થયા.

મુખ્ય પાવર અને બ્લાસ્ટ-ફર્નેસ કામગીરીને નુકસાન થયા બાદ ફેક્ટરીમાં ઉત્પાદન આંશિક રીતે બંધ કરવામાં આવ્યું હતું. રશિયા પર યૂકેનના મોટા ડ્રોન હુમલાના જવાબમાં આ હુમલો થયો હતો. યૂકેનના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકોમાંના એક, આર્સેલર મિત્તલ ક્રાયવી રિહે પુષ્ટિ આપી હતી કે તેમના એક સ્થળને મિસાઇલ હુમલાનું નિશાન બનાવવામાં આવ્યું હતું.

કંપનીએ કહ્યું કે હુમલા બાદ તેમની કામગીરી આંશિક રીતે બંધ કરવી પડી. અગાઉ, યૂકેનના સેકડો ડ્રોનથી રશિયા પર હુમલો કર્યો હતો. કિવ દ્વારા આને યુદ્ધના સૌથી મોટા હવાઈ હુમલાઓમાંનો એક ગણાવવામાં આવી રહ્યો છે.

આ હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા. યૂકેનના અનેક અન્ય પ્રદેશોમાં રશિયન હુમલાઓની અસર અનુભવાઈ હતી. દક્ષિણપૂર્વીય ઝાપોરિઝિઝયા પ્રદેશમાં બે લોકો માર્યા ગયા હતા, જ્યારે એક વ્યક્તિનું સરહદી પ્રદેશ સુમીમાં અને એક વ્યક્તિનું પૂર્વીય ડોનેટ્સકમાં મૃત્યુ થયું હતું.


4. હોર્મુઝની નાકાબંધીમાં ઓમાન વચ્ચે પડ્યું તો બોમ્બમારો કરીશું: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનને ધમકી આપી છે કે જો તે હોર્મુઝની ખાડીમાં ઈરાની જહાજો સામે અમેરિકાની લાદવામાં આવેલી નાકાબંધીમાં અવરોધ ઊભો કરશે તો અમેરિકા ઈરાનના આ પાડોશી દેશ પર ભયંકર બોમ્બમારો કરશે.

ફોક્સ ન્યૂઝના એક પત્રકારને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, જો ઓમાન વચ્ચે આવશે તો અમે તેના પર જોરદાર બોમ્બમારો કરીશું. આ વાતચીત હોર્મુઝ પરના નિયંત્રણ અંગે ઓમાન અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોના સંદર્ભમાં હતી.

આ અંગે પોતાની અલગ વાટાઘાટો ચલાવી રહ્યું છે. ટ્રમ્પ સાથેની મુલાકાત અંગે પત્રકારે એક્સ પર કરેલી પોસ્ટ મુજબ, ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાને શરણાગતિનો સફેદ ઝંડો ફરકાવવો જોઈએ. ટ્રમ્પે ઉમેર્યું હતું કે મારો કોઈ સમય-નિર્ધારિત કાર્યક્રમ નથી.

ઓમાને સોમવારે હોર્મુઝમાંથી જહાજોની અવરજવર અંગે સમજૂતી સાધી લીધી હોવાની માહિતી સામે આવી છે. સંયુક્ત નિવેદનની વિગતોને આખરી ઓપ આપવાનું કામ ચાલી રહ્યું છે. આ કરારથી જહાજો ઈરાન અને ઓમાન નજીકના માર્ગે પસાર થઈ શકશે.

5. રશિયામાં ઈંધણની અછત : ફરી પેટ્રોલપંપ પર લાંબી લાઈનો

મોસ્કો

રશિયાના કેટલાક ભાગોમાં ઈંધણની અછત ફરી ઊભી થઈ છે. ઓઈલ રિફાઈનરીઓ પર ડ્રોન હુમલાને કારણે અવરજવર અને પુરવઠા પર અસર પડી છે. ઓછામાં ઓછા ૧૦ પ્રદેશોમાં પેટ્રોલ વેચાણ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

મોસ્કો વિસ્તારના કેટલાક ફિલિંગ સ્ટેશનો પર પેટ્રોલનો સ્ટોક ખતમ થઈ ગયો હતો, જ્યારે મોટાભાગે ડીઝલનો પુરવઠો ઉપલબ્ધ હતો. દેશના ઘણા ભાગોમાં ઈંધણ વેચાણ નિયંત્રણો ફરીથી લાગુ કરવાનો સંકેત પણ આપવામાં આવ્યો છે.

રશિયાએ મે મહિનામાં શરૂ થયેલી તેની અગાઉની ઈંધણ કટોકટી હળવી કર્યાના થોડા અઠવાડિયા પછી જ આ અછત આવી છે અને જુલાઈ સુધીમાં લગભગ તમામ પ્રદેશોમાં ફેલાઈ ગઈ હતી. ડ્રોન હુમલાઓએ એવા સમયે ઘણી રિફાઈનરીઓ બંધ કરવાની ફરજ પાડી હતી જ્યારે ઈંધણની મોસમી માંગ વધી રહી હતી.

સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકીને, ઈંધણની ગુણવત્તા સંબંધિત કેટલાક નિયમો હળવા કરીને અને સ્થાનિક પુરવઠાને વધારવા માટે વિદેશથી પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરીને અછત ટાળવા પ્રયાસ કર્યો હતો.

જુલાઈના અંત સુધીમાં ઈંધણની ઉપલબ્ધતામાં સુધારો થયો હતો. કેટલાક પ્રદેશોએ પ્રતિબંધો હટાવી લીધા હતા અથવા હળવા કર્યા હતા. રશિયન સરકારે જણાવ્યું હતું કે ઘણા વિસ્તારોમાં ઈંધણ પુરવઠો મુશ્કેલ રહે છે. ઊર્જા અધિકારીઓએ ઓરેનબર્ગ, લિપેટ્સક, ટવર, કાસ્નોદર, ઝાબેકાલ્સ્કી, પ્રિમોર્સકી, કાસ્નોયાર્સ્ક, ઓરીઓલ, તુવા અને ખાકાસિયામાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

No comments:

Post a Comment